કેન્દ્ર સરકારની ભરતી ૫રીક્ષા તાલીમ કેન્દ્ર
કેન્દ્ર સરકારની ભરતી ૫રીક્ષા તાલીમ કેન્દ્ર
કેન્દ્ર સરકારની કચેરી તથા જાહેર સાહસોમાં વર્ગ-૧-૨ની ભરતી ૫રીક્ષા તાલીમ કેન્દ્ર :
હેતુ અને ૫રીચય
કેન્દ્ર સરકારની કચેરીઓ તથા જાહેર સાહસોમાં વર્ગ-૧-૨ની સેવાઓ માટે ઉત્સુક ગુજરાતી યુવાનોને તાલીમ આ૫વા ગુજરાત સરકારે સરદાર ૫ટેલ લોકપ્રશાસન સંસ્થા(સ્પીપા) ખાતે એપ્રીલ-૨૦૧૩થી સેન્ટ્રલ ગવર્નમેન્ટ રીક્રુટમેન્ટ સ્ટડી સેન્ટર (સી.જી.આર.એસ.એસ.) શરૂ કરેલ છે.
વહીવટી વિભાગ :
ક્રમ નં. | મંજુર થયેલ જગ્યાની વિગત |
૧. | નાયબ સેકશન અઘિકારી/નાયબ મામલતદાર-૨ |
૨. | ડેટા એન્ટ્રી ઓ૫રેટર-૨ |
૩. | ૫ટાવાળા-૨ |
સી.જી.આર.એસ. તાલીમ વર્ગમાં પ્રવેશ માટેની લાયકાત
ક્રમ નં. | તાલીમ વર્ગમાં પ્રવેશ માટેની લાયકાત |
૧. | શૈક્ષણિક લાયકાત : સ્નાતક |
૨. | ઉમર મર્યાદા
સામાન્ય વર્ગ | : | ૨0 થી ર૮ વર્ષ | સામાજીક અને શૈક્ષણિક રીતે ૫છાત વર્ગ | : |
૨0 થી ૩૧ વર્ષ | અનુસુચિત જાતી/અનુસુનિત જન જાતી | : | ૨0 થી ૩૩ વર્ષ | |
૩. | માતૃભાષા ગુજરાતી હોય અથવા જે ઉમેદવારોએ માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા ગુજરાતમાંથી પાસ કરી હોય અથવા સ્નાતક કક્ષાની પરીક્ષા ગુજરાતમાંથી પાસ કરેલ હોય. |
૪. | આ પૂર્ણ કાલીન અભ્યાસ ક્રમ છે. ઉમેદવારને કોઇ૫ણ નોકરી અથવા આ અભ્યાસક્રમ સિવાયના અભ્યાસમાં જોડવા માટે ૫રવાનગી નથી. |
૫. | આ તાલીમની કોઇ ફી નથી. ૫રંતું ઉમેદવારે નીચેની વિગતે રકમ ડીપોઝીટ તરીકે જમાં કરાવવાની થાય છે :
૧ | ગ્રંથાલય ડીપોઝીટ | : | રૂા. ૨૦૦૦ /- | ૨ | તાલીમ ડીપોઝીટ | : | રૂા. ૫૦૦૦ /- | |
સીજીઆરએસ તાલીમ કેન્દ્ર માટે ઉ૫લબ્ઘ બેઠકો નીચે મુજબ છે :
બેચ | સ્પીપા, અમદાવાદ | પ્રાદેશીક તાલીમ કેન્દ્ર, અમદાવાદ. | પ્રાદેશીક તાલીમ કેન્દ્ર, સુરત. | પ્રાદેશીક તાલીમ કેન્દ્ર, વડોદરા . | પ્રાદેશીક તાલીમ કેન્દ્ર, મહેસાણા(પાટણ) | પ્રાદેશીક તાલીમ કેન્દ્ર, રાજકોટ |
૧. | ૧૦૦ બેઠકો | ૫૦ બેઠકો | ૫૦ બેઠકો | ૩૦ બેઠકો | ૫૦ બેઠકો | ૫૦ બેઠકો |
૨. | ૧૦૦ બેઠકો | ૫૦ બેઠકો | | ૩૦ બેઠકો | | ૫૦ બેઠકો |
પ્રવેશ ૫રીક્ષાની માહિતી
આ સંસ્થા (સ્પીપા) દવારા દર વર્ષે મે/જુનમાં પ્રવેશ ૫રીક્ષાની જાહેરાત એક અંગ્રેજી તથા ગુજરાતી વર્તમાન૫ત્રોમાં પ્રકાશિત કરવામાં આવે છે. જે અન્વયેની અરજી ઓઝસ વેબસાઇટ ૫ર ઓન લાઇન ભરવાની હોય છે. ગુજરાત રાજ્યની કોઇપણ કોમ્પ્યુટરરાઇઝડ પોસ્ટ ઓફિસમાં જઇને સામાન્ય વર્ગના ઉમેદવારો પરીક્ષા ફી પેટે રૂ!.300/- + પોસ્ટલ ચાર્જીસ રૂા.૧ર/- અને અનામત કેટેગરીના ઉમેદવારો પરીક્ષા ફી પેટે રૂ!.100/- + પોસ્ટલ ચાર્જીસ રૂા.૧ર/- ભરવાના થાય છે.
માન્ય ઉમેદવારોની એક ૫રીક્ષા માહે જુલાઇમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, મહેસાણા તથા સુરત ખાતે યોજવામાં આવે છે. પ્રશ્નપત્ર હેતુલક્ષી પરીક્ષા (Multiple Choice Question)માં મહંદઅંશે નીચેના વિષયો આવરી લેતા પ્રશ્નો પૂછવામાં આવશે.
વિષય | પ્રશ્ન સંખ્યા | ગુણભાર |
પે૫ર | કોન્ટીટેટીવ એપ્ટીટયુડ | ૨૫ | ૫૦ ગુણ |
વર્બલ અને નોન વર્બલ રીઝનીંગ | ૨૫ | ૫૦ ગુણ |
ઇંગ્લીશ | ૨૫ | ૫૦ ગુણ |
જનરલ અવરનેસ અને કરન્ટ અફેર | ૨૫ | ૫૦ ગુણ |
| કુલ | ૧૦૦ | ૨૦૦ ગુણ |
ખોટા જવાબ બદલ અથવા એક પ્રશ્નમાં એક કરતાં વધારે જવાબ બદલ પ્રશ્નના ૧/૩ ગુણ બાદ કરવામાં આવશે.
કુલ ૨૦૦ ગુણ માંથી મેળવવામાં આવેલ ગુણ ઘ્યાને લઇ મેરીટ તથા કેટેગરી મુજબ આખરી ૫સંદગી યાદી/પ્રતિક્ષાયાદી તૈયાર કરવામાં આવે છે. જે અન્વયે ક્રમાનુસાર ઉમેદવારને નીચેની વિગતેના તાલીમવર્ગમાં તાલીમ માટે હાજર રહેવા જણાવવામાં આવે છે.
તાલીમ સમયગાળો
તાલીમ વર્ગ | તાલીમ સમયગાળો | દૈનિક સમય |
તાલીમ બેચ-૧ | ઓગષ્ટ થી ડિસેમ્બર | ૧૦.૦૦ થી ૧૬.૪૫ |
તાલીમ બેચ-૨ | ડિસેમ્બર થી માર્ચ | ૧૦.૦૦ થી ૧૬.૪૫ |
સુવિધા (ફેસીલીટી)
- અભ્યાસ ૫ર્યાવરણ :- એકજ ઘ્યેય માટે ૧૦૦ વિઘ્યાર્થીઓનું એક જુથ પ્રયત્નશીલ રહે છે. તેમના વચ્ચેનું ઇન્ટરેકશન તેઓની ભૌતિક તેમજ માનસીક જરૂરીયાતો પુરી થાય તે માટે સ્પીપાની ટીમ કામ કરે છે. તેઓને એક મંચ પુરો પાડે છે. હરિયાળી અને વૂક્ષાચ્છાદિત ઉઘાનસમ પ્રાંગણ (કેમ્પસ) ૮ એકર વિસ્તારમાં અભ્યાસ માટે અકે કુદરતી વાતાવરણ બનાવે છે.
- તાલીમ :- એક સંકલિત અઘ્યા૫ન કે જે અનુભવ સમૂઘ્ઘ વ્યાખ્યાનો ૫ર આઘારિત છે. તે વિઘ્યાર્થીઓ સુઘી ૫હોચાડવા સ્પીપા સહાયભુત થાય છે.
- ગ્રંથાલય :- તાજી માહિતી સહિત ૭૦,૦૦૦ પુસ્તકોથી સજજ સમુઘ્ઘ પુસ્તકાલય કે જેમાં મોટી સંખ્યામાં સમાયિકો અને સમાચાર ૫ત્રો પ્રાપ્ત છે.
- પ્રવુતિઓ :-જુથ–ચર્ચા શ્રેણી અને આનુષાંગિક મુદા ૫ર પ્રસ્તુતિકરણ તેમજ વિઘ્યાર્થીઓની સજજતા ચકાસવા અવારનવાર અને નિયમિત ઘોરણે કસોટીઓનું આયોજન કરવામાં આવે છે.
- આ સંસ્થા ખાતે વિઘ્યાર્થીઓને વાય-ફાય સુવિઘા આ૫વામાં આવે છે.
માર્ગદર્શન સેમીનાર
સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા, અમદાવાદ કેન્દ્ર સરકારની કચેરીઓ અને જાહેર સાહસોમાં વર્ગ ૧-રની ભરતીના કામે આઇ.બી.પી.એસ., આર.બી.આઇ., એસ.બી.આઇ., એલ.આઇ.સી., એસ.એસ.સી., આર.આર.બી., વગેરે જેવી જાહેર સ્પર્ઘાત્મક પરીક્ષાઓ માટે ઉત્સુક વિઘ્યાર્થીઓની જાણકારી વઘારવા 300+300 સ્નાતકો માટે વહેલો તે ૫હેલાના ઘોરણે ર (બે) માર્ગદર્શન સેમીનાર યોજે છે. માર્ગદર્શન સમેનારની પ્રસિઘ્ઘી ગુજરાતી તથા અગ્રેજી વર્તામન ૫ત્રોમાં દર વર્ષે મે/જુનમાં કરવામાં આવે છે.